ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીને લઈને રાજકીય માહોલ ગરમાયો છે. ગુજરાતની રાજનીતિમાં પગ મૂકવાની તૈયારીઓ નરેશ પટેલ કરી રહ્યા છે પરંતુ ગઈકાલે પ્રશાંત કિશોરના કોંગ્રેસમાં ન જોડાવાના એલાન બાદ હવે નરેશ પટેલના રાજકીય ભવિષ્યનું શું થશે તેના પર મોટો સવાલ ઊભો થયો છે.

પ્રશાંત કિશોર કોંગ્રેસમાં નથી જોડાવવાના આ સમાચાર આવતા જ ગુજરાતનું રાજકારણ ગરમાયું છે. કારણ કે ખોડલધામના ચેરમને નરેશ પટેલ અને પ્રશાંત કિશોર સાથે મળીને ગુજરાતમાં કોંગ્રેસની કમાન સંભાળવાના હતા પરંતુ PKના કોંગ્રેસમાં ન જોડાવાના એલાન બાદ નરેશ પટેલ પણ ક્યાંક સલવાયા હોય તેવો ઘાટ સર્જાયો છે.
આજે ખોડલધામના ટ્રસ્ટીઓની બેઠક યોજાઈ હતી આ દરમિયાન નરેશ પટેલે સૂચક સંદેશ આપ્યો છે. નરેશ પટેલે કહ્યું હતું કે, પ્રશાંત કિશોર મારા સારા મિત્ર છે તેથી હું રાજનીતીમાં આવીશ તો મારા મિત્ર પીકે મારી સાથે જ હશે.