સુરતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 2 કેસ નોંધાયા

Gujarat Fight

સુરત શહેર જિલ્લામાં કોરોનાની ત્રીજી લહેર કાબૂમાં આવી ગઈ છે. વિતેલા 24 કલાકમાં સિટીમાં એક પણ કેસ નોંધાયો નથી. જ્યારે ગ્રામ્ય વિસ્તારમાં 2 નવા કેસ નોંધાયો છે. હોસ્પિટલ કોરોના દર્દીથી ખાલીખમ બની છે. છેલ્લા 51 દિવસથી એકપણ દર્દીનું મોત થયું નથી. જ્યારે એક્ટિવ કેસ 3 થયા છે. કોરોના સંક્રમણ ફરી ન ફેલાય તે માટે રસીકરણ પર ભાર મૂકાઈ રહ્યો છે.

સુરત શહેર જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ 205016 લોકો કોરોનાની ઝપેટમાં આવી ચુક્યા છે. કુલ 2240 લોકોના મૃત્યુ થયા છે. જ્યારે 2 લાખથી વધુ લોકો કોરોનાને માત આપી ચૂક્યા છે. હાલ શહેર જિલ્લામાં 3 એક્ટિવ કેસ છે. ડિસ્ચાર્જનો આંકડો 2 લાખને પાર કોરોના કેસ ઘટવાની સાથે સાથે કોરોનામુક્ત થતાં દર્દીઓની સંખ્યામાં પણ વધારો થઈ રહ્યો છે. ત્રણેય લહેરમાં કોરોનાગ્રસ્ત થયેલા લોકોમાંથી 202773 લોકોએ કોરોનાને હરાવીને સ્વસ્થ થયા છે. જેમાંથી જિલ્લાના 42261 લોકોનો સમાવેશ થાય છે.

હાલમાં કોવિડ પોઝિટિવિટી રેટ માત્ર 0.02 ટકા જ છે. જાન્યુઆરીમાં કોરોનાના કેસ પીક પર હતા ત્યારે પોઝિટિવિટી રેટ 15 ટકા પહોંચી ગયો હતો. છેલ્લા દિવસોમાં પોઝિટિવિટી રેટ ઘટીને 0.02 ટકા થઇ ગયો છે. ત્રીજી લહેરમાં કોરોના પીક પર હતો ત્યારે રોજ 3 હજારથી વધુ કેસો સામે આવી રહ્યા હતા. છેલ્લા ઘણા દિવસથી કેસ સિંગલ ડિઝિટમાં નોંધાઇ રહ્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ gujaratfight.com ન્યૂઝ સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો gujaratfight.com ની મોબાઇલ એપ્લિકેશન.


Gujarat Fight

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *