બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમારે એક નિવેદનમાં કહ્યું હતું કે લાઉડસ્પીકર જેવા નોનસેન્સ મુદ્દે મારે વાત નથી કરવી. બિહારની સરકાર ધાર્મિક બાબતોમાં દખલગીરી કરવાનું યોગ્ય ગણતી નથી. બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમારને એક કાર્યક્રમ દરમિયાન પૂછવામાં આવ્યું હતું કે બિહારની સરકાર પણ ગેરકાયદે ચાલતા લાઉડસ્પીકર સામે પગલાં ભરશે? જવાબમાં નીતીશ કુમારે કહ્યું હતું કે લાઉડસ્પીકર જેવા નોનસેન્સ વિવાદ મુદ્દે મારે વાત નથી કરવી. બિહારની સરકાર લોકોની ધાર્મિક ભાવનાઓમાં દખલ કરવાનું પસંદ કરતી નથી. નીતીશની ટીપ્પણી એવા સમયે આવી છે, જ્યારે બિહારના ભાજપના નેતાઓ સરકારને સલાહ આપી રહ્યા છે કે બિહારની સરકારે યોગી સરકારની જેમ પગલાં ભરવાની જરૃર છે.

બીજી તરફ ઉત્તર પ્રદેશની યોગી સરકારે ગેરકાયદે ચાલતા ૪૬ હજાર કરતાં વધુ લાઉડસ્પીકર ઉતારી લીધા છે. સરકારમાં નોંધણી ન થઈ હોય એવા લાઉડસ્પીકર ઉતારી લેવાની કાર્યવાહીના ભાગરૃપે આ લાઉડસ્પીકરો ઉતારી લેવાયા છે. યુપીના કાયદો અને વ્યવસ્થાના એડીજીએ જણાવ્યું હતું કે ૪૬ હજાર લાઉડસ્પીકર પરવાનગી વગર ચાલતા હતા, તેને ઉતારી લેવાયા છે. જ્યારે ૫૮ હજાર લાઉડસ્પીકરોનો અવાજ ધીમો કરી દેવામાં આવ્યો છે. સરકારી નિયમો પ્રમાણેનો અવાજ કરી દેવાયો હતો. એડીજીના કહેવા પ્રમાણે ૫૮ હજાર લાઉડસ્પીકરો પરવાનગી સાથે ચાલે છે, પરંતુ અવાજના માપદંડોનું પાલન થતું ન હતું.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ gujaratfight.com ન્યૂઝ સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો gujaratfight.com ની મોબાઇલ એપ્લિકેશન.