ગુજરાતમાં આ વર્ષના અંતમાં વિધાનસભા ચૂંટણી થવાની છે પરંતુ તમામ રાજકીય પાર્ટીઓએ અત્યારથી પ્રયાસ કરવાનુ શરૂ કરી દીધુ છે. ગુજરાતના પાટીદાર નેતા નરેશ પટેલ આજે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી સાથે મુલાકાત કરી શકે છે. મળતી જાણકારી અનુસાર નરેશ પટેલની કોંગ્રેસમાં સામેલ થવાની શક્યતા છે. નરેશ પટેલ લેઉવા પટેલ સમાજના ખોડલધામના અધ્યક્ષ છે.
નરેશ પટેલ ભલે જ સક્રિય રાજકારણમાં ના રહ્યા હોય પરંતુ છેલ્લા એક દાયકામાં તેમના નામની ખાસી ચર્ચા રહી છે. ખોડલધામ પર ભવ્ય મંદિરના નિર્માણને લઈને અગ્રણી રહેલા નરેશ પટેલનુ પાટીદાર સમાજમાં જોરદાર વર્ચસ્વ છે. નરેશ પટેલ જે પાટીદાર સમુદાયના નેતા છે. તેઓ ગુજરાતના રાજકારણમાં હંમેશાથી નિર્ણાયક ભૂમિકામાં રહ્યા છે.

લેઉવા પટેલ, સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારમાં વધારે, રાજકોટ, જામનગર, અમરેલી, ભાવનગર, જૂનાગઢ, પોરબંદર, સુરેન્દ્રનગર જિલ્લામાં મોટી સંખ્યામાં પાટીદાર સમાજના લોકો રહે છે. નરેશ પટેલને લઈને છેલ્લા કેટલાક દિવસથી ગુજરાતમાં જોરદાર રાજનીતિ થઈ રહી છે. આ રાજનીતિમાં દરેક રાજનીતિક પાર્ટીની નજર નરેશ પટેલ પર ટકેલી થઈ છે.

માનવામાં આવી રહ્યુ છે કે નરેશ પટેલ જે પાર્ટીમાં જશે પાટીદાર સમાજનુ સમર્થન તે પાર્ટીમાં રહેશે. બીજી તરફ પાટીદાર આંદોલનથી રાજકારણમાં આવેલા ગુજરાત કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલએ પ્રદેશ કોંગ્રેસ નેતૃત્વ પર પ્રશ્ન ઉભા કરતા બાગી તેવર બતાવ્યા છે. હાર્દિકએ પોતાને રામ ભક્ત ગણાવ્યો અને કહ્યુ કે હિંદુ હોવા પર અમને ગર્વ છે, પરંતુ ભાજપમાં જવા પર હજુ પોતાના પત્તા ખોલી રહ્યા નથી.