જહાંગીરપુરીમાં MCDની કાર્યવાહી પર સુપ્રીમનો સ્ટે યથાવત્

Gujarat Fight

દિલ્હીના જહાંગીરપુરીમાં હિંસા બાદ ગેરકાયદે બાંધકામ પર MCDએ બુધવારે બુલડોઝર ચલાવડાવી કડક કાર્યવાહી કરી હતી. જેની પર સુપ્રીમ કોર્ટે ગઇ કાલે યથાસ્થિતિ બનાવી રાખવાનો આદેશ આપ્યો હતો. ત્યારે આ મામલે આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હતી. જેમાં સુપ્રીમ કોર્ટના આદેશ અનુસાર, ‘જહાંગીરપુરીમાં હાલ બુલડોઝર નહીં ચલાવાય. જહાંગીરપુરીમાં દબાણ હટાવવાની કાર્યવાહી પર સુપ્રીમ કોર્ટનો સ્ટે યથાવત્ રહેશે.

બે સપ્તાહ બાદ ફરી આ મામલે સુનાવણી થશે. તમને જણાવી દઇએ કે, દિલ્હીમાં જહાંગીરપુરીમાં હનુમાન જયંતિના રોજ થયેલી હિંસા બાદ બુધવારે ગેરકાયદે બાંધકામ પર બુલડોઝર ચલાવવાનું અભિયાન હાથ ધરાયું હતું. જેમાં લગભગ 7 જેટલાં બુલડોઝર જહાંગીરપુરી પહોંચ્યા હતાં. જેના દ્વારા રસ્તામાં પડેલો સામાન દૂર કરવામાં આવ્યો હતો. તેમજ કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે તે માટે લગભગ 1500 સુરક્ષાકર્મીઓ પણ તૈનાત કરાયા હતાં. આ કાર્યવાહીમાં મહાનગરપાલિકાના કમિશનર સહિત 100 કર્મચારીઓ પણ હાજર હતાં. નોંધનીય છે કે, 20 અને 21 એપ્રિલના રોજ એમ બે દિવસ સુધી જહાંગીરપુરીમાં બુલડોઝર ચલાવવાની કાર્યવાહી થવાની હતી.

સુપ્રીમ કોર્ટે આ કાર્યવાહી પર રોક લગાવી દેતા એટલે કે કોર્ટે હાલ જહાંગીરપુરીમાં યથાસ્થિતિ જાળવી રાખવાનો આદેશ આપ્યો હોવાથી દબાણ હટાવવાની કાર્યવાહી સ્થગિત કરાઇ હતી. જો કે આ મામલે આજે સુનાવણી હતી. તાજેતરમાં જ દેશમાં તમામ જગ્યાએ રમખાણો થયા છે. ત્યારે આ રમખાણો બાદ યુપી અને એમપીમાં પ્રશાસન દ્વારા હિંસાના આરોપીઓની મિલકતો પર બુલડોઝર ચલાવવાનો મામલો સામે આવ્યો છે.


Gujarat Fight

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *