કર્ણાટકમાં લિંગાયતોને ઓબીસીના દરજ્જાની માગથી ભાજપ પરેશાન

Gujarat Fight

કર્ણાટકમાં હિન્દુત્વના સહારે ફરી સત્તા હાંસલ કરવાની તૈયારીમાં વ્યસ્ત ભાજપને લિંગાયત મઠોએ ઝટકો આપ્યો છે. જંગપા ફકીરપ્પા મઠના શ્રીડિંગલેશ્વર સ્વામી ભાજપ પર આરોપ લગાવી ચૂક્યા છે કે આ સરકાર મઠોને મળતા સરકારી અનુદાનના બદલામાં 40% કમિશન વસૂલે છે. કુડાલસંગમ મઠના શ્રીબસવા જયા મૃત્યુંજય સ્વામીએ પંચમસાલી લિંગાયતોને પછાત વર્ગનો દરજ્જો આપવાની માંગ સાથે આંદોલન શરૂ કરવાની પણ ધમકી આપી છે.

શ્રીબસવ પણ ભાજપથી નારાજ છે. લિંગાયત અનામત પછી ભાજપ માટે આ બીજી એક મુશ્કેલી છે. અત્યાર સુધી રાજ્યમાં ફક્ત બે પંચમસાલી મઠ હતા. હાલમાં જ મોટા ઉદ્યોગોના મંત્રી મુરુગેશ નિરાનીએ એક ત્રીજો મઠ સ્થાપવાની પહેલ કરી, જેનાથી અન્ય બે મઠ નારાજ થયા. હવે શ્રીબસવા જયા મૃત્યુંજય સ્વામીએ અનામતનું દબાણ કરતા આંદોલન શરૂ કરવાની યોજના બનાવી છે, જે સંભવિત રીતે લિંગાયત મતોને વિભાજિત કરી શકે છે. પાછલી કોંગ્રેસ સરકાર વખતે પણ પંચમસાલી મઠોએ અનામતનો મુદ્દો ઉઠાવ્યો હતો.

આ જદ(એસ)-કોંગ્રેસ ગઠબંધન સરકાર સુધી ચાલુ રહ્યો. બાદમાં યેદિયુરપ્પા આ ગઠબંધન સરકારને ઊથલાવીને મુખ્યમંત્રી બન્યા તો ચૂપ થઈ ગયા. હવે યેદિયુરપ્પાની જગ્યા બસવરાજ બોમ્મઈએ લીધી છે અને આ મુદ્દો ફરી ઊઠ્યો છે. જોકે, પાછલા મહિને મુરુગેશ નિરાનીની મદદથી ત્રીજા પંચમસાલી મઠની સ્થાપના કરાઈ, તો આ મુદ્દો ફરી શરૂ થયો. આ દરમિયાન કોંગ્રેસ ધીમે ધીમે અને સતત નાના લિંગાયત મઠોને પોતાની તરફ કરી રહી છે.


Gujarat Fight

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *